નવલકથા:ઉડાન.પ્રકરણ:27.હીર અને સ્મૃતિના જીવનમાં પેલી નાનકડી છોકરીનુ આગમન.....
પ્રકરણ:27.હીર અને સ્મૃતિના જીવનમાં પેલી નાનકડી છોકરીનુ આગમન.....
કેમ નહીં આટલું કહેતાં જ સ્મૃતિ હીરને પોતાના ખોળામાં સુવાડે છે."મને લોરી સંભળાવોને પ્લીઝ મમ્મી"આટલું કહી હીર રમતે વળી જાય છે.
સ્મૃતિને પ્રેમથી લોરી સંભળાવી સુવાડી દે છે.આમને આમ સવાર થઈ જાય છે. સ્મૃતિ સફાળી જાગી સ્મૃતિ હવે અનાથાશ્રમમાં પહોંચે છે.
ગિરધરભાઈ આશ્રમમાં સંચાલક હોય છે. તેઓ ઉદારદિલના સેવાભાવી હોય છે.અનાથ બાળકોને પોતાના સંતાન જેવો પ્રેમને હૂંફ આપે છે.બાળકોને પોતાના પેરેન્ટ્સ ની યાદ સુધા પણ નથી આવતી.સ્મૃતિ ગિરધરભાઈની ઓફિસમાં મંજૂરી લઈ પ્રવેશ કરે છે.સ્મૃતિ ગિરધરભાઈને પેલી નાનકડી છોકરીને ખોળે લેવાની રજૂઆત કરે છે. છે.ગિરધરભાઈ સ્મૃતિના કામથી વિશે તો તે જાણતા જ હોય છે.પરંતુ સ્મૃતિ આજે તેઓ સ્મૃતિના વ્યક્તિત્વથી પ્રભાવિત થાય છે.સ્મૃતિની વાત ગિરધરભાઈ પેલી નાનકડી છોકરી સમક્ષ કરીને ગિરધરભાઈ પૂછે છે કે બેટા તારી શું ઈચ્છા છે,તુ સ્મૃતિ આન્ટી તને ખોળે લેવા માંગે છે,તો તું જવા માંગે છે એમને ત્યાં?સ્મૃતિને જોઈ નાનકડી છોકરી પગમાં પડી વંદન કર્યા.સ્મૃતિને જોઈ નાનકડી ભેટી પડી ત્યારે સ્મૃતિ ગળગળી થઈ ગઈ.ગિરધરભાઈ એ હળવેક થી પુછ્યું "બેટા તુ સ્મૃતિ આન્ટી સાથે જઈશ...??"
નાનકડી છોકરીએ વિનંતીપુર્વક કહ્યું"સહેજ માથું ધુણાવતા હા મા પ્રત્યુત્તર આપ્યો.નાનકડી છોકરીને લઈ જવા માટે સ્મૃતિ તૈયારી કરી રહી હતી.સૌ મિત્રો સાથે તેને લાગણીના સંબંધો બંધાઈ ગયેલા.નાનકડી છોકરી ગિરધરભાઈથી વિદાય લઈ રહી હતી આ દ્રશ્ય જોઈ સૌની આંખો ભીની થઈ ગઈ.
નાનકડી છોકરીને ગિરધરભાઈ એવી રીતે વળાવી રહ્યા હતા કે તેમની સગી દિકરી ન વળાવતા હોય!આ જોઈ સ્મૃતિની આંખો પણ ભીની થઈ ગઈ હતી.નાનકડી હીર પેલી છોકરી ને શાંત પાડી રહી હતી....
વધુમાં હવે આગળ......
Comments
Post a Comment